Monday, August 24, 2020

લંડન - રજત જયંતિ મહોત્સવ by Narendra Rathod


શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય
જય સ્વામિનારાયણ

ગઈ કાલે તારીખ 23 ઓગસ્ટ 2020ના રોજ જે લંડન મંદિર રજત જયંતિ મહોત્સવ જે ૨૫ વર્ષ પુરા થયા તેનો ઓનલાઈન પ્રોગ્રામ જોયો.

તે વખતે મને જે પ્રમુખસ્વામી મહારાજે કરેલ કાર્ય અને આખી ઘટના ઉપરથી એક વિચાર આવ્યો,

વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે પોતે આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે અક્ષરબ્રહ્મ, મૂકતો અને ઐશ્વર્ય ને લઈને આવે છે, એ જ પ્રકારે જ્યારે આ ગુણાતીત પરંપરામાં એવી જ એક આ ઘટના ગણાવી શકાય.

જેમાં ઈદી અમીનને આફ્રિકામાં રાતોરાત એક વિચાર આવ્યો અને ઇન્ડિયનોને કાઢી મૂક્યા અને તે વખતે કેટલાક ઇન્ડિયન યુકે ખાતે આવી અને સ્થાયી થયા. તે વખતે તેમની પાસે કોઈ સાધન સગવડ તો ન હતી.

ત્યારે જેમ શ્રીજી મહારાજે જેમ કલ્યાણ યાત્રા દરમિયાન માનસરોવરનાં હંસોને પરમહંસ બનાવ્યા, તેવી જ રીતે આ બધા મૂકતોનું કલ્યાણ કરવા માટે, આ ઘટનાનું નિર્માણ કર્યું હોય તેમ જણાય છે.

એ જ હરિભક્તોને આર્થિક સામાજિક અને આધ્યાત્મિક રીતે આગળ વધારવા માટે પ્રમુખ સ્વામી મહારાજે, જે એમના ગુરુ યોગીજી મહારાજ દ્વારા જે સંકલ્પ અને શરૂઆત કરવામાં આવેલ તેને ગુરુભક્તિની ચરમસીમારૂપ આ કાર્ય કર્યું. એમાં વળી તે સમયમાં હરિભક્તોના એવા રિસેશનના દેશકાળમાં પણ તેઓને આગળ વધારવાનો એક રહસ્યમય સંદેશ જે આ જીવ સમજી ન શકે તે આ સમયે આપણને ખ્યાલ આવે છે કે કેવી સત્પુરુષની કેવી લીલા હતી.

આમ, સમગ્ર બાબતને ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે શ્રીજી મહારાજની ગુણાતીત પરંપરાએ આજે યોગીજી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ કે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી દ્વારા પણ એવી જ રીતે કલ્યાણ યાત્રા ચાલી રહી છે પરંતુ આ એક માયાવિષ્ટિતજીવને તેનો ખ્યાલ હોતો નથી
પરંતુ જો આવા ગુણાતીત સત્પુરુષ અને પરબ્રહ્મના શરણે જઈએ તો વિશેષ કાર્ય કરવાનું રહે નહીં. તે મળ્યા, સમજ્યા, અને સમર્પિત થયા પછી વિદેહી મુક્તિ તો નિશ્ચિત જ છે, આપણે અક્ષરધામમાં મુક્તની પંક્તિમાં ભળવાનું નિશ્ચિત છે. પરંતુ છતી દેહે પણ વિદેહી મુક્તિની જેમ જ જીવનમુક્તિ પણ આપણને પ્રાપ્ત થાય, અહીં જ અક્ષરધામનું પ્રગટ સુખ આવે તે માટે, વર્તમાનકાળે આવા પ્રગટ ગુણાતીત સત્પુરુષ, પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજમાં આપણે જો કેવળ નિર્દોષ ભાવ અને દિવ્યભાવ રાખી અને જો બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મની ભક્તિ કરીશું. તો આપણે બહુ ભાગ્યવાન થઈશું અને વળી અત્યારે કળી કાળ કલિયુગમાં આ ભગવાનની ભક્તિ એ જ શ્રેષ્ઠ અને કલ્યાણનું સાધન છે.

જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ અમદાવાદ
9978441517

તારીખ 24 ઓગસ્ટ 2020
સવારના 10.30
26` Celsius Temratur

આ મારા વિચારો રજૂ કરવાનો એક પ્રયત્ન છે.