Thursday, July 28, 2022

“મરી તો બધાને જવાનું છે, પણ શતાબ્દીની સેવા કરી અમર ન થઇ જઈએ !!!”

 સમગ્ર સજીવ સૃષ્ટિમાં ભગવાને મનુષ્યને મુખ્યત્વે બે ભેટ આપેલી છે. એક બુદ્ધિ અને બીજું વાણી. સામાન્યતઃ બીજા બધા જ પ્રાણી જગતમાં મનુષ્યને આ વિશેષ ભેટ પ્રાપ્ત થયેલ છે.

 

બુદ્ધિનું મુખ્ય આઉટકમ જોઈએ તો વિચાર છે. આપણે સૌ આ વિચારને વાણી અને વર્તન દ્વારા વહેવારમાં વ્યવહારમાં લાવીને જીવન સાફલ્ય બનાવતા હોઈએ છીએ. એટલે જ તો એવું કહેવાય છે ને કે, “વિચાર બનાયે જિંદગી.”

 

જંગલનો રાજા સિંહ જ્યારે વિહાર કરતો હોય છે, ત્યારે સતત થોડા થોડા અંતરે પાછળ વળીને જોતો હોય છે જેને ‘સિંહાવલોકન” કહેવામાં આવે છે, તેવી જ આપને સતત આપણું મુલ્યાંકન કરતાં રહેવું અને તેથી જ તો ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરતા જણાવ્યું છે, કે “નિરંતર પાછું વાળીને પાછું વળીને જોયા કરવું છે, જે મારે શું કરવાનું છે અને હું શું કરી રહ્યો છું?”

 

શ્રીમદ્  ભાગવત ગીતાના નીચોડ તરીકે અંતમાં અર્જુન કહે છે, ‘કરિષ્યે તવ વચનમ’  એ જ અધ્યાત્મનો નિચોડ અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપણાને “આજ્ઞા અને ઉપાસના” દ્વારા જણાવે છે.

 

ત્યારે વર્તમાન કાળે આવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા એ જ આપણા માટે સર્વસ્વ છે. વર્તમાન કાળે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સેવા એ જ આપણા માટે આજ્ઞા છે. એટલે તો તેમણે લખ્યું કે, “મરી તો બધાને જવાનું છે, પણ શતાબ્દીની સેવા કરી અમર ન થઇ જઈએ !!!”

 

એટલું જ નહિ, પરંતુ ખાતરી આપી કે. “જે શતાબ્દીની સેવામાં સમર્પિત થશે એનો વ્યવહાર મહારાજ સ્વામી સંભાળશે.” તો હવે આવા અવસરે, આપણે કેવળ એક જ વિચાર કરવાનો કે “હવે મારો વારો છે,  મહંતસ્વામી મહારાજનો નારો છે,  શતાબ્દી સેવા એ જ મારું જીવન છે.”

 

અસ્તુ,

જય સ્વામિનારાયણ

 

નરેન્દ્ર રાઠોડ

બોસ્ટન, અમેરિકા

તારીખ 27 જુલાઈ 2022

રાત્રે 11:53 વાગે.



કેટલાક સંકલિત વોટ્સેપ મેસેજ :
4/3/22 આશીર્વાદ

શતાબ્દી ની સેવામાં સમર્પિત થાશે તેનો વ્યવહાર મહારાજ સંભાળશે
પ્રારબ્ધ અનુસાર બધાને મળે છે
અત્યાર સુધી વ્યવહાર મહારાજ સ્વામી એ જ સંભાળ્યો છે
કરોડપતિ ઍક દિવસોમાં રોડપતિ થઈ જાય
વિશ્વાસે રેતી માં વહાણ ચાલે
મનના તુક્કા મૂકી સેવામાં પહોંચી જવું
પહેલાનાં જમાનામાં મૂછનો દોરો આપે લાખ રૂપિયા મળે- વિશ્વાસ
વિશ્વાસ હોય તો શું ન થાય
મહારાજ સ્વામી જરૂર આપણું સારુ કરશે જ
અત્યાર સુધી જેમણે બાપા માટે કર્યું છે તે કોઈનો વ્યવહાર બગડ્યો નથી
મહારાજ સ્વામી કર્તા છે
બગડ્યું છે એ આપણા સારા માટે જ છે
આટલી મોટી હસ્તી જવાબદારી લે છે
સુદામા તાંદુલ આપ્યુ સોનાનો મહેલ થયો આપણા સોનાના હૈયા થશે
શુભ શુભ થાય દુનિયામાં બધાનું ભલું થાય
બીજા વિશ્વાસ થી પટકાયા છીએ ભગવાનમાં વિશ્વાસ થી કામ થાશે
સજ્જન બધાનુ સારુ ઈચ્છે ભગવાન પર છોડી દો એમણે જે ધાર્યું છે એ કરશે j તો શું કામ ચિંતા કરવી
ખેતી નોકરી મૂકી સેવા કરી લેવી આ સેવા ફરી નહીં આવે
સિનેમા જોવા બધું આઘુંપાછું કરીએ છીએ
દૂધનો દાઝલો છાશ ફૂકી પીવે પારકા માં વિશ્વાસ આવે
ભગવાન અને સંત ને રાજી નથી કર્યા તો જન્મ ધર્યો શું કામનો
અનુકૂળતા ન હોય તો કરવાની
હાથ માં બાજી આવેલ ખોઈ રહ્યાં છીએ
કષ્ટ તો પડશે જ પણ ઘડતર થઇ જાશે અધ્યામિક ઘડતર
મોક્ષ માર્ગ મળી જાશે
કાચો લોટ મમરા ચણા ખાઈ આ કાર્ય કરી લેવુ જે ન કરે તો મૂર્ખ હશે

મહંતસ્વામી મહારાજના દિવ્ય પ્રસંગો

★*.✧*:。¸¸•*¨*•..•*¨*• ¸¸。:*✧.*★
*પ.પૂ.મહંતસ્વામી મહારાજના દિવ્ય પ્રસંગો*
★*.✧*:。¸¸•*¨*•..•*¨*• ¸¸。:*✧.*★

(૧)

શાસ્ત્રીજી મહારાજ ના ૪ પ્રસંગ - અડધા કામાદિક દોષ બળી જાય - મહંતસ્વામી મહારાજ ને સંતો એ પૂછ્યું : "આપના આવા કોઈ પ્રસંગ કહો" - મ.સ્વા.મ : " યોગીબાપાએ પાંચ ઉપવાસ કરાવ્યા તે" - એકદિવસ યોગીબાપા ની હાજરીમાં ઉપવાસ કર્યો - સવારે ઠાકોરજીના દર્શન કરી,બાપાને પગે લાગી પારણાં કરવાનો ક્રમ - યો.મ. ને પગે લાગવા ગયા - યો.મ : " ગુરુ, આજે ઉપવાસ કરી લ્યો ! મહારાજ બહુ રાજી થશે." - બીજો ઉપવાસ થયો - ત્રીજા દિવસે ફરી ઠાકોરજીના દર્શન કરી બાપાને પગે લાગવા ગયા - યો.મ. : " આજે ઉપવાસ કરો તો સ્વામી બહુ રાજી થશે !" - આજ રીતે ચોથે ને પાંચમે દિવસે થયુ - યોગીબાપાના વચને સળંગ પાંચ દિવસના નિર્જળા ઉપવાસ કર્યા - મ.સ્વા.મ ને થયું હવે છઠ્ઠા દિવસે શું થશે? - છઠ્ઠે દિવસે સવારે યોગીબાપા પાસે ગયા - બાપાએ ખૂબ જ રાજીપો બતાવ્યો - જાતે લીંબુપાણી બનાવી રાખેલું. - પોતાના હાથે મ.સ્વા.મ ને પારણાં કરાવ્યા - ગુરુ વચન ઝીલવાની કેટલી તત્પરતા !!!
━•┈━══━┈┈━══━┈•━

(૨)

વર્ષો પહેલા -  ગોંડલમાં મહંતસ્વામી  સવારે વહેલા પૂજા કરવા બેઠાં - ધ્યાન કરતા હતા - ધ્યાન કરી રહ્યા પછી આંખ ખોલી - જોયું તો પૂજા અદ્રશ્ય !!! - મૂંઝાઈ ગયા - " મારી પૂજા ક્યાં ગઈ હશે ? કોણ લઈ ગયું હશે ? - ગળામાં  માળા હતી - વિચાર્યું : " અક્ષરદેરીમાં જાઉં, ત્યાં જઈ માળા ફેરવીશું, કંઇક જાણ થશે" - દેરીમાં ગયા - ત્યાં જઈ જોયું તો યોગીબાપા અક્ષરદેરીમાં મહાપૂજા કરતા હતા ને એ મહાપૂજા માં મહંતસ્વામી ની પૂજા ગોઠવેલી હતી - યોગીબાપાની મહાપૂજામાં અલૌકિક રીતે પ્રસાદીની થયેલી પૂજા અત્યારે પ.પૂ. સ્વામીશ્રી કરી રહયા છે - ગુરુ ને પણ શિષ્યનો કેટલો મહિમા !!!
━•┈━══━┈┈━══━┈•━

(૩)

મહંતસ્વામી મહારાજ ૨૦૧૭ ના આફ્રિકા વિચરણ વખતે કેન્યાના મસાઈમારા માં વિરાજમાન હતા - સ્વામીશ્રીનો બપોરનો આરામ માં જવાનો સમય થયો - આરામમાં જવા પહેલા થોડીવાર બેઠા - પછી પોઢવા જતા જતા બે હાથ ઊંચા કર્યા ને બોલવા લાગ્યા : " સહુનો સેવક એવો હું સાધુ કેશવજીવનદાસ ! સહુ નો સેવક" - સેવક સંત મુનિચિંતનસ્વામીએ કહ્યું : "સ્વામી ! આપ તો સહુના ગુરુ છો !" - તરતજ સ્વામીશ્રી કહે : "મને ગુરુ મનાતું જ નથી, હું દાસનો દાસ જ છું, સેવક છું." - આટલું બોલીને ઘસઘસાટ પોઢી ગયા - આ છે સ્વામીશ્રીની જીવનભાવના !!!
━•┈━══━┈┈━══━┈•━

(૪)

તાજેતરમાં ૨૦૧૭ પેરિસમાં સ્વામીશ્રીના વિચરણ દરમ્યાન એક યુવક જયેશ સિક્યુરિટીની સેવામાં રહે - જ્યારે તે પંદર વર્ષનો હતો ત્યારથી તેની પાસે એક ઓટોગ્રાફ બુક છે - જેમાં બધા સદગુરુ સંતોની સહી છે - એ વખતે તે મહંતસ્વામી મહારાજની સહી લેવા પણ ગયેલો - સ્વામીએ સહી ના કરતા ફક્ત એક ચિત્ર દોરી આપેલું - આટલા વર્ષો પછી જયેશને વિચાર આવ્યો કે સ્વામીશ્રીએ સહી નથી કરી ફક્ત ચિત્ર જ દોર્યું છે - તેણે આત્મસ્વરૂપ સ્વામીને પૂછ્યું : " સ્વામીશ્રી સહી કરી આપશે ?" - આત્મસ્વરૂપસ્વામી : "કરી આપશે, " - તે સ્વામીશ્રી પાસે ગયો - સ્વામીશ્રીએ ટૂંકી સહી , ' સા.કે.' (સાધુ કેશવજીવનદાસ ) કરી આપી - વર્ષો પહેલા સ્વામીશ્રીએ આ બુકમાં સાધુ નું ચિત્ર દોરી આપેલું એટલે જયેશે સ્વામીશ્રીને પૂછ્યું : "સ્વામી, તમે પહેલા આ સાધુ દોર્યા છે તો મારે શું સમજવું ?" - સ્વામીશ્રી એટલુંજ બોલ્યા  : " બધાએ સાધુ થવાનું છે !" - અર્થાત બધાએ એકાંતિક થવાનું છે - આ છે સ્વામીશ્રીના અંતર નો અભિપ્રાય...
━•┈━══━┈┈━══━┈•━

(૫)
દિલ્હી અક્ષરધામમાં નવો વોટરશો બન્યો ત્યારે તેમાં લાઇટિંગ એક્સપર્ટ તરીકે સેવા આપનાર એક રાલ્ફ નામના વ્યક્તિ.  - મહંતસ્વામી મહારાજ ગુરૂપદે આવ્યા પછી રાલ્ફ સૌ પ્રથમવાર પિંડવાળા માં મળી ને દર્શન કર્યા હતા - ત્રણ દિવસના રોકાણ દરમ્યાન એક દિવસ તેણે એક થાંભલાને લાઇટિંગ કરી સ્વામીશ્રી સમક્ષ ડેમોસ્ટ્રેશન કરેલું - સ્વામીશ્રીએ ખૂબ ભાવથી નિહાળ્યું - પછી સ્વામીશ્રીને હાર પહેરાવતી વખતે રાલ્ફને સ્વામીશ્રીના હાથ નો સહેજ સ્પર્શ થયો - મહંતસ્વામી મહારાજ એક પણ શબ્દ બોલ્યા નહોતા - રાલ્ફ એ પોતાની આ દિવ્ય અનુભૂતિ ની વાત પરત જતી વખતે પ્લેનમાં બેઠા બેઠા લખી - " સ્વામીશ્રીનું silence બહુ સ્પર્શી ગયું ! એમણે જ્યારે મારા હાથનો સ્પર્શ કર્યો ત્યારે જાણે હું બીજી દુનિયામાં હોઉં એવો દિવ્ય અનુભવ થયો !"
સ્વામીશ્રી એટલે દિવ્યતા નો મહાસાગર!!!
━•┈━══━┈┈━══━┈•━

(૬)
અમદાવાદમાં એક જગ્યાએ આપણું સ્થાન છે -  જે સોસાયટી માં આ સ્થાન આવેલું છે તે સોસાયટી ના ચેરમેન એક સરદારજી - બધી રીતે બહુ પહોંચેલા માણસ - આ સરદારજી આપણા સ્થાનનો અને પ્રવૃત્તિ નો ખુબજ વિરોધ કરે - સંતો એ સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ કહે તમે બધા ખોટા છો, સમજવા જ તૈયાર નહિ - છેલ્લે સંતોએ આ સરદારજીને કહ્યું : " એક કામ કરો, અમને ઓળખવા માટે અમારા ગુરુ મહંતસ્વામી મહારાજને એક વખત મળો તો ખરા ! પછી તમને એવું લાગે તો વિરોધ ચાલુ રાખજો" - સરદારજી કહે : " હું આવું તો ખરો, પણ એક શરત ; મને પગે લાગવાનું કહેતા નહિ . હું ફક્ત ગુરુ ગોવિંદસિંહને જ પગે લાગુ છું એટલે બે નાવ માં સફર ન થાય એક જ નાવમાં થાય. જો મને ગુરુ ગોવિંદસિંહના દર્શન થાય તો પગે લાગીશ"  -  સરદારજી દર્શને આવ્યા - હથિયારધારી અંગરક્ષકો સાથે હાંફળા ફાંફાળા થતા સ્વામીશ્રીની રૂમમાં પ્રવેશ્યા - પ્રવેશતાની સાથે જ આશ્ચર્ય!!! - આ સરદારજી અંદર પ્રવેશતાજ સ્વામીશ્રીના ચરણે પડી ગયા ને કહેવા લાગ્યા : " સ્વામી , મને ક્ષમા કરો. હવેથી હું આપને સપોર્ટ કરીશ."
   મહંતસ્વામી મહારાજનું કેવું ઐશ્વર્ય !!! 

WhatsApp સંકલન

મહંતસ્વામી મહારાજે કરેલાં શુદ્ધ ઉપાસના લક્ષી કાર્યો.

મહંતસ્વામી મહારાજે કરેલાં શુદ્ધ ઉપાસના લક્ષી કાર્યો.

 (૧) સાધના મંત્ર આપ્યો.
   || અક્ષરમ અહં પુરુષોત્તમ દાસોડસ્મિ ||
 --- તા ૨૫/૦૧/૨૦૧૮/ગુરુવાર/મહાસુદ૮/સં.૨૦૭૪.  ગોંડલ/અક્ષર મંદિર.

(૨) આશ્રય દીક્ષા મંત્ર આપ્યો.
   ધન્યોડસ્મિ પૂર્ણ કામોડસ્મિ, નિષ્પાપો નિર્ભય: સુખી.|
  અક્ષરગુરુયોગેન સ્વામિનારાયણાશ્રયાત ||
  તા.૨૫/૦૩/૨૦૧૮/રવિવાર/ચૈત્ર સુદ ૯/સં.૨૦૭૪. સારંગપુર/BAPS મંદિર.

(૩) નૂતન મહાપૂજા આપી.
     તા. ૨૪/૧૧/૨૦૧૮/કારતક વદ ૧/શનિવાર/સં.૨૦૭૪/બોચાસણ.

(૪) સહજાનંદ નામાવલિ આપી. 
    તા. ૨૪/૧૧/૨૦૧૮/કારતક વદ ૧/શનિવાર/સં.૨૦૭૪... બોચાસણ.

(૫) નૂતન આરતી -- શુદ્ધ ઉપાસના + સાધનાલક્ષી.
    તા. ૨૪/૧૧/૨૦૧૭/કારતક વદ ૧/શનિવાર/સં.૨૦૭૪
 બોચાસણ.

(૬) સત્સંગદીક્ષા ગ્રંથ આપ્યો.
     તા. ૦૨/૦૪/૨૦૨૦/ચૈત્ર સુદ ૯/ગુરુવાર/સં.૨૦૭૭ નેનપુર/ શાંતિવન.

(૭) નિત્યપૂજાના બંને શ્લોક. 
       આહવાન મંત્ર +પુનરાગમન મંત્ર આપ્યો.
   ઉતિષ્ઠ સહજાનંદ શ્રીહરિ પુરુષોત્તમ...
   ભક્ત્યૈવ દિવ્યભાવેન....
   તા. ૧૦/૦૭/૨૦૨૦/શુક્રવાર/અષાઢ વદ ૫.  આ તારીખે હરિભક્તો પર પરિપત્ર આવેલ.

(૮) સત્સંગદીક્ષા ગ્રંથ ઉપર ભાષ્ય પૂ. ભદ્રેશદાસ સ્વામી દ્વારા લખાવ્યું.  (નેનપુરમાં રહ્યા થકા.)
   તા. ૩૧/૧૦/૨૦૨૦/શનિવાર/શરદપૂનમ/સં.૨૦૭૭.

(૯) હરિકૃષ્ણ મહારાજની અજોડ ભેડ અક્ષરબ્રહ્મ ગુણાનીતાનંદ. સ્વામીની ચલ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા -- મહાપૂજા -- નેનપુર.
   તા. ૩૧/૧૦-૨૦૨૦/શનિવાર/શરદપૂનમ/સં.૨૦૭૭.

(૧૦) પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે યજ્ઞ થયો જેમાં BAPS યજ્ઞવિધિ -- અક્ષરપુરુષોત્તમનો મહિમા આવે તેમ કર્યું.
   યજ્ઞ તારીખ -- તા. ૩૦/૧૦/૨૦૨૦/શુક્રવાર/આ.સુ.૧૪...

(૧૧) કાશીમાં અક્ષરપુરુષોત્તમ દર્શન પીઠની સ્થાપના થઈ.
   તા. ૨૮/૦૬/૨૦૧૯/જેઠ વદ ૧૦/શુક્રવાર/સં.૨૦૭૬.

(૧૨) સાધક તાલીમ સમય -- ૩ વર્ષ કર્યા.

(૧૩) BAPS પ્રાણપ્રતિષ્ઠા -- નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા વિધિની શરૂઆત થઈ.
   પુના -- તા. ૧૯/૦૨/૨૦૧૭/રવિવાર/મહા વદ ૮. 
   શિખરબદ્ધ મંદિર પ્રતિષ્ઠા અવસરે...

(૧૪) આસો સુદ પુનમથી કારતક સુદ પડવો, બેસતા વર્ષ સુધી ૧૫ દિવસનું ગુણાતીત બ્રહ્મ સત્ર તેનું આયોજન પૂજ્ય. ગુરુહરિ. મહંતસ્વામી મહારાજે કરાવ્યું હતું...

(૧૫) 'બાપા' દ્વારા કરવામાં આવેલ સત્સંગ દિક્ષા ગ્રંથની પ્રથમ પારાયણ

 (૧૬) ભક્તોમાં 'અક્ષરપુરુષોત્તમ' દર્શનને એકીકૃત કરવા માટે વિવિધ સ્થળોએ બ્રહ્મસત્રનું આયોજન

(૧૭) 'અક્ષરપુરુષોત્તમ' દર્શન પર વાત કરવા માટે વિવિધ દેશોની મુલાકાત લીધી હતી. હકીકતમાં તેમણે લગભગ ૧,૨૦,૦૦૦ લોકોને 125 કેન્દ્રોમાં સંબોધ્યા.

 (૧૮) પૂજ્ય ભદ્રેશસ્વામીજી દ્વારા 'બ્રહ્મસૂત્રભાષ્ય' પર સમગ્ર ભારતભરના સંસ્કૃત વિદ્વાનો માટે સંગઠિત શલાકા સ્પર્ધાનું આયોજન 

(૧૯) બરોડા, બેંગલુરુ અને લખનઉની ઘણી યુનિવર્સિટીઓ દ્વારા 'ભાષ્યગ્રંથ' નું સન્માન

(૨૦) બરોડા, જૂનાગઢ, ભાવનગર, સુરતમાં 'ભાષ્યગ્રંથ'ના સન્માનમાં મહાન સરઘસો...

(૨૧)બેંગકોક, વેનકુવર, લંડન, રોબિન્સવિલેમાં આંતરરાષ્ટ્રીય પરિષદોમાં અને ગાંધીનગર દિલ્હીમાં રાષ્ટ્રીય પરિષદોમાં 'અક્ષરપુરુષોત્તમ' નું ગૌરવ અને મહિમા ફેલાવ્યા છે.


WhatsApp મેસેજ - સંકલન