Sunday, July 24, 2011

જન્‍મંગલ નામાવલીના સતત ૧૦૦ કલાક સુધી પાઠ

જય સ્‍વામિનારાયણ

બી.એ.પી.એસ. ઘાટલોડીયાનો જ નહી પરંતુ સમગ્ર સત્‍સંગ પરિવારમાં

એક સીમાચિહ્નનરૂપ ઘટના – એટલે જન્‍મંગલ નામાવલીના સતત ૧૦૦ કલાક સુધી પાઠ કરવા.

પ્રગટ બ્રહમસ્‍વરૂપ પ્રમૂખ સ્‍વામી મહારાજના સ્‍વાસ્‍થયના એક માત્ર શુભ આશય માટે કરવામાં આવેલ અને વિશેષતો એ છે કે એક માત્ર હરિભકત શ્રી શૈલેષભાઇ પટેલ, (ઘાટલોડીયા)ના સંકલ્‍પે આ કાર્ય તેમના જ ઘરે સિધ્‍ધ થયું. આ જન્‍મંગલ નામાવલીના સતત ૧૦૦ કલાક સુધી પાઠ કરવાના સંકલ્‍પમાં સંતો, કાર્યકરો અને તમામ બાઇ-ભાઇ હરિભકતોનો સાથ મળતા તે સંકલ્‍પ સિધ્‍ધ થઇ શકયો છે.

જેની શરૂઆત તારીખઃ ૧૬-૭-૨૦૧૧ ના રોજ સવારે ૮-૦૦ વાગે થયેલ.

એક કલાકના સરેરાર ૧૪ જેટલા પાઠ થતા હતા, સમયાંતરે કાર્યકરો અને હરિભકતો આવતા રહેતા.

કેટલાક હરિભકતોએ તો ખાસ રજા મુકીને આ લાભ લીધો હતો ત્‍યારે કેટલાક હરિભકતો મધ્‍યરાત્રીએ ઉઠીને પણ આ પાઠમાં જોડાવા માટે આવતા,

અમારા એ સદભાગ્‍ય છે કે આ શૂભકાર્ય માટે બાપાના નિમિતમાત્રથી આ શુભકાર્ય થઇ શકયું. તેમજ અમોને સંતો દ્વારા પ્રેરણા અને જોઇતો પુરો સાથ સહકાર મળતો રહયો છે પુર્ણાહૂતિને દિવસે પૂ વિવેકજીવન સ્‍વામી અને પુ. યોગેશ્‍વરસ્‍વામીની ઉપસ્‍થિતીએ અમારા શુભકાર્યની દિવ્‍યતાને ચરમસીમાએ પહોંચાડી દીધી. જે વખતે બાપાના પણ ૧૦૮ નામની યાદીના પાઠ કરવામાં આવ્‍યા, સંતો ધ્‍વારા આરતી ધુન અને મહિમાસભર વાતોથી ઉપસ્‍થિત તમામ ભકતજનોને ખુબ જ પ્રેરીત કરવામાં આવ્‍યા. અમો તમામ સંતગણના ખુબ જ આભારી રહીશું.

ઘાટલોડીયા પરિવાર એક પરિવાર જેવી પ્રતિતિ આ શુભસંકલ્‍પમાં અમોને થઇ, બાપા, દરેક કાર્યકર બાઇ-ભાઇ હરિભકતોનો અવિરત પ્રવાહ આવ્‍યા જ કરતો અને આ કાર્ય કયારે સંપન્‍ન થઇ ગયું તે અમને ખબર પણ ન પડી.

આ તબકકે એ પણ જણાવવાનું કે સતત ૧૦૧ કલાક સ્‍વામિનારાયણ મહામંત્રની ધુન મહિલા મંડળ ધ્‍વારા તારીખઃ ૧૧-૭-૧૧ થી ૧૫-૭-૧૧ સુધી સંસ્‍કારધામ ખાતે કરવામાં આવેલ.


બી.એ.પી.એસ. ઘાટલોડીયા મંડળના

જય સ્‍વામિનારાણ

શ્રીજી મહારાજ પોતાની સાથે લાવેલા અવતાર અને મુકતોની યાદી


શ્રીજી મહારાજ પોતાની સાથે લાવેલા અવતાર અને મુકતોની યાદી ગ.પ્ર-૭૧
કોણ
કોનો અવતાર
ગુણાતીતાનંદ સ્‍વામી
અક્ષરનો અવતાર
ગોપાળાનંદ સ્‍વામી
કૃષ્‍ણનો અવતાર
વ્‍યાપકાનંદ સ્‍વામી
મુકતનો અવતાર
સ્‍વરૂપાનંદ સ્‍વામી
ભૂમાપુરુષનો અવતાર
સત્ચિદાનંદ સ્‍વામી
પ્રધાનપુરુષનો અવતાર
મુકતાનંદ સ્‍વામી
નારદજીનો અવતાર
નિત્‍યાનંદ સ્‍વામી
વ્‍યાસજીનો અવતાર
વાસુદેવાનંદ સ્‍વામી ( બ્રહમચારી)
વાસુદેવનો અવતાર
આત્‍માનંદ સ્‍વામી
બદરીપતિ નારાયણ નો અવતાર
રામાનંદ સ્‍વામી
ઉદ્ધવજીનો અવતાર
મુળજી બ્રહમચારી
હનુમાનજીનો અવતાર
અદભુતાનંદ સ્‍વામી
વિષ્‍ણુનો અવતાર
કપિલાનંદ સ્‍વામી
કપિલજી સ્‍વામી
વિશુધ્‍ધાનંદ સ્‍વામી
દતાત્રયનો અવતાર
ભાઇ સ્‍વામી
ઋષભદેવનો અવતાર
વિષ્‍ણુદાસ
ધન્‍વતરીનો અવતાર
શુક સ્‍વામી
શુકદેવજીનો અવતાર
નરસિંહાનંદ સ્‍વામી
નરસિંહજીનો અવતાર
રધુવીરજી મહારાજ
રામચંદ્રજીનો અવતાર
અયોધ્‍યાપ્રસાદ
વિષ્‍ણુનોનો અવતાર
ઇચ્‍છારામ
અનિરૂધ્‍ધનો અવતાર
ભગવતપ્રસાદ મહારાજ
પરશુરામનો અવતાર
વિહારીલાલજી મહારાજ
વામનજીનો અવતાર
નંદરામ
પ્રદ્ધયુમનનો અવતાર
દાદા ખાચર
નરઋષિ ( અર્જૂન) નો અવતાર
અમરો ખાચાર
અમરિષનો અવતાર
જીવુબા
લક્ષ્‍મીજી નો અવતાર
લાડુબા
રાધાજીનો અવતાર
વાધા ખાચર
સૂર્યનો અવતાર
શિવલાલ શેઠ
સિધ્‍ધવલ્‍લભરાજાનો અવતાર
નથુ પટેલ
લક્ષ્‍મીચંદશેઠ (વૃંદાવન) નો અવતાર
નિષ્‍કુળાનંદ સ્‍વામી
જડભરતજીનો અવતાર
વિશ્‍વસ્‍વરૂપાનંદ સ્‍વામી
વિશ્‍વકર્માનો અવતાર
મેનનાથ
દ્રૃોણાચાર્યનો અવતાર
એભલખાચર
પરીક્ષિતનો અવતાર
પ્રભવાનંદ સ્‍વામી
માર્કંડઋષિનો અવતાર
કર્ટસીઃ હીરાભાઇ મીઠાભાઇ રાઠોડ, મધ્‍યસ્‍થ કાર્યાલય, બી.એ.પી.એસ., અમદાવાદ

બીજી માહિતી મળતા *******

સંકલન કર્તાઃ
કોણ કોનો અવતાર હતા તેના નામ:-
૧. શુકમુનિ સ્વામી-શુકદેવજી નો અવતાર.
૨. નિત્યાનંદ સ્વામી-વ્યસજીનો અવતાર.
૩. ગોપાળાનંદ સ્વામી-કૃષ્ણ નો અવતાર.
૪. મુક્તાનંદ સ્વામી-નારદજી નો અવતાર.
૫. વિશુદ્ધાનંદ સ્વામી-દત્તાત્રેય નો અવતાર.
૬. પરમાનંદ સ્વામી-ઇન્દ્ર નો અવતાર.
૭. નરનારાયણાનંદ સ્વામી-નરનારાયણ નો અવતાર.
૮. રઘુવીરજી મહારાજ-રામચંદ્ર નો અવતાર.
૯. વિહારિલાલજી મહારાજ-વામનજી નો અવતાર.
૧૦. મુકુંદાનંદવર્ણી-હનુમાનજી નો અવતાર.
૧૧. રામપ્રતાપભાઈ-શેષજી નો અવતાર.
૧૨. ઈચ્છારામભાઈ-પ્રદ્યુમ્ન નો અવતાર.
૧૩. વાઘાખાચર-સૂર્ય નો અવતાર.
૧૪. દાદાખાચર-અર્જુન નો અવતાર.
૧૫. દાદાખાચરના દીકરા અમરાખાચર-રાજા અંબરિષ નો અવતાર.
૧૬. નાથભક્ત-પ્રધાનપુરુષ નો અવતાર.
૧૭. અમદાવાદનાં દામોદરશેઠ-બોડાણા નો અવતાર.
૧૮. નથુ ભટ્ટ ના પિતા લાલજી ભટ્ટ-વશિષ્ઠ નો અવતાર.
૧૯. કાલીદત્ત-કંસ નો અવતાર.
૨૦. લાડુબા-રાધાનો અવતાર.
૨૧. જીવુબા-લક્ષ્મીજી નો અવતાર.
૨૨. રાજબાઈ-સરસ્વતિ નો અવતાર.
૨૩. પીપલાણાનાં રૂક્ષ્મણીબાઈ-ગોદાવરી નદીનો અવતાર.
૨૪. રવજી સુતાર ના પત્ની-જાબુંવતી નો અવતાર.
૨૫. જોડિયા બંદરનાં હરબાઈ ડોશી-સત્યભામાં નો અવતાર.
૨૬. વૉકરસાહેબ-જાંબુવાનનો અવતાર-નીલકંઠવર્ણીએ વન વિચરણ વખતે તે જાંબુવાનનું કલ્યાણ કર્યુંને *બુધેજ* ગામમાં કાંધોજી નામના ભક્ત બન્યા.
૨૭. *"ખવીસનો મોક્ષ"* પાઠનાં રાજા તેને મહારાજે વરદાન આપીને પંચાળાનાં ઝીણાભાઈના દીકરા *હઠીસિંહ* નો અવતાર આપ્યો.
૨૮. નીલકંઠવર્ણીએ વન- વિચરણ વખતે જે વાઘનું કલ્યાણ કર્યું તે *બુધેજ* ગામ નાં ખોડાભાઈના નાના ભાઈ બન્યા.
૨૯. એકલશૃંગી ઋષિનાં વંશજ *શીતળદાસ* તે *વ્યાપકાનંદ સ્વામી* બન્યા.




નરેન્‍દ્ર રાઠોડ,
બી.એ.પી.એસ. ઘાટલોડીયા, અમદાવાદ
email: rathod.nj@gmail.com