સમગ્ર સજીવ સૃષ્ટિમાં ભગવાને મનુષ્યને મુખ્યત્વે બે ભેટ આપેલી છે. એક બુદ્ધિ અને બીજું વાણી. સામાન્યતઃ બીજા બધા જ પ્રાણી જગતમાં મનુષ્યને આ વિશેષ ભેટ પ્રાપ્ત થયેલ છે.
બુદ્ધિનું મુખ્ય આઉટકમ જોઈએ તો વિચાર છે. આપણે સૌ આ વિચારને વાણી અને
વર્તન દ્વારા વહેવારમાં વ્યવહારમાં લાવીને જીવન સાફલ્ય બનાવતા હોઈએ છીએ. એટલે જ તો
એવું કહેવાય છે ને કે, “વિચાર બનાયે જિંદગી.”
જંગલનો રાજા સિંહ જ્યારે વિહાર કરતો હોય છે, ત્યારે સતત થોડા થોડા
અંતરે પાછળ વળીને જોતો હોય છે જેને ‘સિંહાવલોકન” કહેવામાં આવે છે, તેવી જ આપને સતત આપણું
“મુલ્યાંકન” કરતાં રહેવું અને તેથી જ તો ગુણાતીતાનંદ
સ્વામીએ વાત કરતા જણાવ્યું છે, કે “નિરંતર પાછું
વાળીને પાછું વળીને જોયા કરવું છે, જે મારે શું કરવાનું છે અને હું શું કરી રહ્યો
છું?”
શ્રીમદ્ ભાગવત ગીતાના નીચોડ
તરીકે અંતમાં અર્જુન કહે છે, ‘કરિષ્યે તવ વચનમ’ એ જ અધ્યાત્મનો નિચોડ અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપણાને
“આજ્ઞા અને ઉપાસના” દ્વારા જણાવે છે.
ત્યારે વર્તમાન કાળે આવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી
મહારાજની આજ્ઞા એ જ આપણા માટે સર્વસ્વ છે. વર્તમાન કાળે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ
શતાબ્દી મહોત્સવની સેવા એ જ આપણા માટે આજ્ઞા છે. એટલે તો તેમણે લખ્યું કે, “મરી તો બધાને જવાનું છે, પણ શતાબ્દીની સેવા કરી અમર ન થઇ જઈએ !!!”
એટલું જ નહિ, પરંતુ ખાતરી આપી કે. “જે શતાબ્દીની સેવામાં સમર્પિત થશે એનો વ્યવહાર મહારાજ સ્વામી
સંભાળશે.” તો હવે આવા અવસરે, આપણે કેવળ એક જ
વિચાર કરવાનો કે “હવે મારો વારો છે, મહંતસ્વામી મહારાજનો નારો છે, શતાબ્દી સેવા એ જ મારું જીવન છે.”
અસ્તુ,
જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
બોસ્ટન, અમેરિકા
તારીખ 27 જુલાઈ 2022
No comments:
Post a Comment