Thursday, July 28, 2022

“મરી તો બધાને જવાનું છે, પણ શતાબ્દીની સેવા કરી અમર ન થઇ જઈએ !!!”

 સમગ્ર સજીવ સૃષ્ટિમાં ભગવાને મનુષ્યને મુખ્યત્વે બે ભેટ આપેલી છે. એક બુદ્ધિ અને બીજું વાણી. સામાન્યતઃ બીજા બધા જ પ્રાણી જગતમાં મનુષ્યને આ વિશેષ ભેટ પ્રાપ્ત થયેલ છે.

 

બુદ્ધિનું મુખ્ય આઉટકમ જોઈએ તો વિચાર છે. આપણે સૌ આ વિચારને વાણી અને વર્તન દ્વારા વહેવારમાં વ્યવહારમાં લાવીને જીવન સાફલ્ય બનાવતા હોઈએ છીએ. એટલે જ તો એવું કહેવાય છે ને કે, “વિચાર બનાયે જિંદગી.”

 

જંગલનો રાજા સિંહ જ્યારે વિહાર કરતો હોય છે, ત્યારે સતત થોડા થોડા અંતરે પાછળ વળીને જોતો હોય છે જેને ‘સિંહાવલોકન” કહેવામાં આવે છે, તેવી જ આપને સતત આપણું મુલ્યાંકન કરતાં રહેવું અને તેથી જ તો ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરતા જણાવ્યું છે, કે “નિરંતર પાછું વાળીને પાછું વળીને જોયા કરવું છે, જે મારે શું કરવાનું છે અને હું શું કરી રહ્યો છું?”

 

શ્રીમદ્  ભાગવત ગીતાના નીચોડ તરીકે અંતમાં અર્જુન કહે છે, ‘કરિષ્યે તવ વચનમ’  એ જ અધ્યાત્મનો નિચોડ અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપણાને “આજ્ઞા અને ઉપાસના” દ્વારા જણાવે છે.

 

ત્યારે વર્તમાન કાળે આવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા એ જ આપણા માટે સર્વસ્વ છે. વર્તમાન કાળે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સેવા એ જ આપણા માટે આજ્ઞા છે. એટલે તો તેમણે લખ્યું કે, “મરી તો બધાને જવાનું છે, પણ શતાબ્દીની સેવા કરી અમર ન થઇ જઈએ !!!”

 

એટલું જ નહિ, પરંતુ ખાતરી આપી કે. “જે શતાબ્દીની સેવામાં સમર્પિત થશે એનો વ્યવહાર મહારાજ સ્વામી સંભાળશે.” તો હવે આવા અવસરે, આપણે કેવળ એક જ વિચાર કરવાનો કે “હવે મારો વારો છે,  મહંતસ્વામી મહારાજનો નારો છે,  શતાબ્દી સેવા એ જ મારું જીવન છે.”

 

અસ્તુ,

જય સ્વામિનારાયણ

 

નરેન્દ્ર રાઠોડ

બોસ્ટન, અમેરિકા

તારીખ 27 જુલાઈ 2022

રાત્રે 11:53 વાગે.



કેટલાક સંકલિત વોટ્સેપ મેસેજ :
4/3/22 આશીર્વાદ

શતાબ્દી ની સેવામાં સમર્પિત થાશે તેનો વ્યવહાર મહારાજ સંભાળશે
પ્રારબ્ધ અનુસાર બધાને મળે છે
અત્યાર સુધી વ્યવહાર મહારાજ સ્વામી એ જ સંભાળ્યો છે
કરોડપતિ ઍક દિવસોમાં રોડપતિ થઈ જાય
વિશ્વાસે રેતી માં વહાણ ચાલે
મનના તુક્કા મૂકી સેવામાં પહોંચી જવું
પહેલાનાં જમાનામાં મૂછનો દોરો આપે લાખ રૂપિયા મળે- વિશ્વાસ
વિશ્વાસ હોય તો શું ન થાય
મહારાજ સ્વામી જરૂર આપણું સારુ કરશે જ
અત્યાર સુધી જેમણે બાપા માટે કર્યું છે તે કોઈનો વ્યવહાર બગડ્યો નથી
મહારાજ સ્વામી કર્તા છે
બગડ્યું છે એ આપણા સારા માટે જ છે
આટલી મોટી હસ્તી જવાબદારી લે છે
સુદામા તાંદુલ આપ્યુ સોનાનો મહેલ થયો આપણા સોનાના હૈયા થશે
શુભ શુભ થાય દુનિયામાં બધાનું ભલું થાય
બીજા વિશ્વાસ થી પટકાયા છીએ ભગવાનમાં વિશ્વાસ થી કામ થાશે
સજ્જન બધાનુ સારુ ઈચ્છે ભગવાન પર છોડી દો એમણે જે ધાર્યું છે એ કરશે j તો શું કામ ચિંતા કરવી
ખેતી નોકરી મૂકી સેવા કરી લેવી આ સેવા ફરી નહીં આવે
સિનેમા જોવા બધું આઘુંપાછું કરીએ છીએ
દૂધનો દાઝલો છાશ ફૂકી પીવે પારકા માં વિશ્વાસ આવે
ભગવાન અને સંત ને રાજી નથી કર્યા તો જન્મ ધર્યો શું કામનો
અનુકૂળતા ન હોય તો કરવાની
હાથ માં બાજી આવેલ ખોઈ રહ્યાં છીએ
કષ્ટ તો પડશે જ પણ ઘડતર થઇ જાશે અધ્યામિક ઘડતર
મોક્ષ માર્ગ મળી જાશે
કાચો લોટ મમરા ચણા ખાઈ આ કાર્ય કરી લેવુ જે ન કરે તો મૂર્ખ હશે

No comments:

Post a Comment