વચનામૃત જીવનભર
હે મહારાજ ! હે સ્વામી !
આપની કૃપા અપરંપાર છે.આપની કૃપાથી અમને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની દિવ્યવાણી વચનામૃત રૂપે મળી. આ જ્ઞાન સિદ્ધ કરાવે એવા ગુણાતીત ગુરુ મળ્યા, મહંત સ્વામી મહારાજ મળ્યા.
જે શાસ્ત્ર માત્રનો સાર છે, જેમાં આ લોક અને પરલોકના સુખ ની ચાવી છે, જેમાં અમારી સઘળી સમસ્યાઓનું સમાધાન છે, જેમાં પ્રગટ ભગવાન ની ઓળખાણ અને એમને સેવવાની સાચી રીત છે એ શાસ્ત્ર અમને મળ્યું છે. હવે... હવે મારે એ જ્ઞાનનો લાભ લેવો છે. મારા જીવનને ધન્ય બનાવવું છે.
હે મહારાજ, આપની આ વાણી પરમ સત્ય છે. એનું મનન અને નિદિધ્યાસન મારે કરવું છે. આ માટે હું રોજ વચનામૃત વાંચીશ. આ વચનામૃતના વાંચન વખતે હું આપનો સમાગમ કરું છું એવું અનુસંધાન મને રહે એવી કૃપા કરજો.આપ મારી બુદ્ધિમાં પ્રકાશ કરશો. આપની દિવ્ય વાણી મને સમજાય, યાદ રહે અને સમયે કામ આવે એવી મતિ આપશો. વચનામૃતના દ્વિશતાબ્દી મહોત્સવે વચનામૃત જીવનભર અમારું અંગ બની જાય એ જ આપનાં ચરણોમાં પ્રાર્થના.
No comments:
Post a Comment