Wednesday, March 18, 2020

રવિ સભા Boston USA ~ 06.10.2019

છઠ્ઠી ઓક્ટોબર 2019
રવિ સભા Boston USA
પૂજ્ય શાંત યોગી સ્વામી

પૂજ્ય શાંત યોગી સ્વામીએ આજે સ્વામીની વાત પ્રકરણ પાંચ ૧૪૩મી વાતો પર પર્વતભાઈ નો પ્રસંગ જણાવતા વાત કરી કે, સ્વામીની વાતો જાદુગરી છે, જીવને બ્રહ્મ કરનારી છે, પાંચ અનાદી તત્વ જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ નો ઉલ્લેખ કરતાં બ્રહ્મ અને પરબ્રહ્મ એ માયા પરના તત્વ છે એટલે મહારાજ અને સ્વામી ની વાણી પણ માયા પર ની વાણી થઈ વચનામૃત અને સ્વામીની વાત આ બંને ગ્રંથ પણ માયા પરના ગ્રંથો થયા. જેમાં સર્વોપરી વાત છે, અક્ષરપુરુષોત્તમ ઉપાસનાની વાતો છે. આ વાતોમાં જરાય અતિશયોક્તિ નથી તેની વાત કરતાં આલોકની હાવર્ડ યુનિવર્સિટી અને સરખામણી કરતા આપણું અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન એ કેટલું મહત્વનું છે, તે સમજાવતા સ્વામીએ વાત કરી છે પર્વતભાઈનું નામ ક્યાંય લખ્યું નથી પર્વત કારણકે પર્વતભાઈ ત્રણે અવસ્થામાં ભગવાનની દેખતા પાછળ બેસતા તેમ છતાં મહારાજે તેમનો ઉલ્લેખ કરેલ છે સત્સંગમાં મોટું કોણ કોનો સંબંધ છે. દિવ્યભાવ ગુણ ગ્રહણ મહિમા ઉપાસનાની દ્રઢતા આ બધા ગુણ જેનામાં હોય તે સત્સંગમાં મોટેરા અને મોટા એ જ જે દાસપણું, સત્પુરુષના ગુણ આવે અવગુણ લઈએ નહીં, બધામાં ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખે ત્યારે ખબર પડે કે સત્સંગમાં આગળ વધ્યા ની મારી નિશાની છે. તો સત્સંગમાં બધા મોટા છે અને હું સૌથી નાનો છું બધા દિવ્ય છે જો એવી સમજ આવે તો સમજવું કેવું સત્સંગમાં આગળ વધ્યો છું સત્સંગ એટલે સ્વભાવ ઘસવા માટેનું મહા આયોજન ગોખરવાળા હરખા પટેલનો પ્રસંગ ટાંકી અને તેનો પણ ઉલ્લેખ કર્યો. શાસ્ત્રીજી મહારાજ નું કીર્તન છે શાસ્ત્રીજી મહારાજ નો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે કરમે જડ્યો છે આ કીર્તનનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે પુણ્યનો ઉદય સત્પુરુષની કૃપાથી થાય છે દર્શનથી થાય છે જ્યારે દર્શન થાય છે જ્ઞાન થાય છે અને સમજણ થાય છે ત્યારે સમજવું કે સત્પુરુષની કૃપા થઈ છે અહમ ક્યાં કરવાનો છે અક્ષરમ અહમ ત્યાં અહમ રાખવાનો છે અને પુરુષોત્તમ ના દાસ ભાવે રહેવાનું છે.
અંતમાં આ કરવા માટે પંચવિષય સાથેનો વિચાર તોડાવાનો વિચાર અને શેના માટે સત્સંગમાં આવ્યો છું તે એકજ નિશાન તથા એકાંતિક થવું ભગવાન અને સંત ને રાજી કરવા અને મોક્ષને કલ્યાણ માટે મારો આ જન્મ છે આ સત્સંગ છે અને સત્સંગમાં જન્મ થયો તે જ આપણું આમંત્રણ છે. તો આ પ્રકારે જ્યારે દ્રષ્ટિ કરી એટલે અક્ષરપુરુષોત્તમ માં જન્મ એટલે જ ગુરુ પરંપરા પરંપરા મળી છે દિવ્ય સત્સંગ અને સમાજ મળ્યો છે મહારાજ અને સ્વામી મળ્યા છે મનુષ્ય પ્રાપ્ત થયો છે નિષ્ઠા પ્રાપ્ત થઈ છે આવા ભવ્ય વિચારો પ્રાપ્ત થાય છે આવા છ વિચારો પ્રાપ્ત થયા છે ત્યારે આજે આપણે સાચા સત્સંગી મોટેરા સત્સંગી બનીયે અને જીવનને ધન્ય બનાવીએ

જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ

No comments:

Post a Comment