Monday, March 16, 2020

વિચાર બનાયે જિંદગી


વિચાર બનાયે જિંદગી
સેલ્ફટોક (Self talk)

સેલ્ફટોક એટલે કે જે વિચારો મનની અંદર આપણે કરીએ છીએ, અને તે મુજબ આપણે જે આચરણ કરીએ છીએ, અને જીવન જીવીએ છીએ. અને તેનાથી જે બહારનાં જગતનું નિર્માણ થાય છે. એ જ આપણું સેલ્ફ ટોક છે અને સેલ્ફ ટોક દ્વારા જ જીવન બનાવીએ છીએ. માટે આ સેલ્ફ ટોક સૌથી અગત્યનો વિષય, બાબત છે. જે તેને જાણી લે સમજી લે તેની જિંદગી બની જાય છે, તેને બહારના અને બીજાનાં વિચારો દુઃખી કરી શકતા નથી. એટલે તમને બીજા કોઈ સુખી કે દુઃખી કરી શકતું નથી આ સમજી લેવા જેવી બાબત છે.

જેને ભગવાન સ્વામિનારાયણ અંતર્દૃષ્ટિ પણ કહે છે. આજ નું મેનેજમેન્ટ ઓટો સજેશન તરીકે પણ તેને ક્યાંક ઓળખાવે છે

આમ પોતાના વિચારએ જ પોતાનું જીવન છે માટે નક્કી કરો તમારે કેવું જીવન જીવવું છે તો તેવા વિચારો કરવાના શરૂ કરો એ તરફ આચરણ કરવાનું શરૂ કરો પછી એ જિંદગી તમારી સમક્ષ હશે
આજે ઉચ્ચારેલા તમારા વિચારો અને શબ્દો જ તમારા ભવિષ્યનું નિર્માણ કરે છે એટલે કે વર્તમાન દ્વારાજ તમે તમારા ભવ્ય ભૂતકાળ કે ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ કરી શકો છો.

જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
03.09.2019

No comments:

Post a Comment