Sunday, March 15, 2020

સત્પુરુષ દ્વારા ચંદનના શીતળ છંટકાવ

જુનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સિદ્ધેશ્વર મહાદેવની આગળના ભાગમાં ત્રણ આસન બનાવ્યા હતા મધ્ય આસન ની સામે પથ્થર મૂકી તેના ઉપર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ચંદન ઘસીને તૈયાર કરતા હતા એક બાજુ બોચાસણના કોઠારી ત્યાગ વલ્લભ સ્વામી સુખડના લાકડાના ટુકડા આપે બીજી બાજુ મુંબઈના કોઠારી ચંદનની stick તૈયાર કરે.
ચંદનના પાણી ભરેલા વાટકા માંથી મુઠો પાણી ભરીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌપ્રથમ બેઠેલા યજમાન (એટલે કે હું નરેન્દ્ર રાઠોડ) ઉપર મઠો ભરીને ચંદન અને પાણી મારા મોઢા અને માથા ઉપર છાંટયું, એ શીતલ છંટકાવ ને હું હજુ પણ અનુભવી શકું છું.

moral અને ફંડા :ઘણા સમયથી મારા મગજમાં વિચારોના રુદ્ર સંઘર્ષો કરી રહેલા, આ એક અંજલિ થી અજંપો દૂર થયો અને સત્પુરુષ દ્વારા ચંદનના શીતળ છંટકાવથી થતા થોડા જ સમયમાં શાંતિશાંતિ થઇ જશે એવી અનુભૂતિ થઈ 

આ મારી માનસી છે.

તારીખ 9 ઓક્ટોબર 2018
જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ

No comments:

Post a Comment